Posts

Showing posts from March, 2025

મણકો ૩ ચોટીલા ડુંગર પરિક્રમા, સંતોનો સમાગમ ધર્મજાગરણ કાર્યકર્તાઓ સાથે દિ ૩૦.૩.૨૫ ચૈત્ર સુદ૧ યુગાબ્દ ૫૧૨૭

Image
        ચોટીલા ચામુંડા માતાની ડુંગર પરિક્રમા તારીખ 30 માર્ચ 2025 ચૈત્ર સુદ એકમ   રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મજાગરણ સમન્વય વિભાગ અંતર્ગત સમાજની આર્થિક અને સામાજિક રીતે નબળી જ્ઞાતિઓ માં થતો ધર્માતારણ  મતાંતરણ રોકવા માટે વિવિધ ગતિવિધિઓ ચાલે છે. હિન્દુ સમાજના નબળા ,થોડું ઓછું ભણેલા અને હિન્દુ સમાજની કડીના નબળા ભાગને અન્ય ધર્મ પરાવલંબીઓ લોભ, લાલચ ,ગેરસમજણ એન કેન પ્રકારે હિંદુ ધર્મમાંથી પોતાના વિધર્મમાં લઈ જાય છે .સ્વામી વિવેકાનંદ એ કહ્યું હતું કે હિન્દુમાંથી એક વ્યક્તિ જવાથી એક હિન્દુ ઘટતો નથી પરંતુ એક હિન્દુનો દુશ્મન વધે છે .       આ વિષયને અનુલક્ષીને ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ધાર્મિક સ્થાનો મંદિરોને જોડતી યાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમોના કારણે સમાજના આવા નબળા વર્ગોને હિન્દુ સમાજમાં પોતાની સંસ્કૃતિ રીત રૂઢિઓ ગતિવિધિ જાળવતા સમરસ સમાજનું નિર્માણ કરવાનો ક્રમ પ્રવૃત્તિ ચાલે છે .આ માટે ચાલતી અનેક ધાર્મિક યાત્રાઓમાં છેલ્લા પાંચ વર્ષથી શરૂ થયેલી એક એટલે ચોટીલાના ચામુંડા માતાના ડુંગર ની પરિક્રમા . આ યાત્રામાં માં ચામુંડા ના આસ્તિકો ખ...

મણકો-2 મુલાકાત મોરબી કલેકટરશ્રી કિરણ ઝવેરી અને ડીડીઓ શ્રી પ્રજાપતિ સાહેબ

Image
 રા. સ્વ. સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક ગયા સપ્તાહમાં બેંગ્લોર મુકામે પૂર્ણ થઇ. ત્યાં થયેલ સંઘના પ્રસ્તાવ અને સંકલ્પ પત્ર તથા થોડી માહિતી આપવા માટે હું અને એડવોકેટ તથા સંઘના મોરબી જીલ્લા પ્રચાર પ્રમુખરાજુભાઇ  બદ્રકીયા ગયા હતા. બપોરે એક પંછી મુલાકાતનો સમય હતો. સંઘની પ્રતિનિધી સભાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિત તથા મુશ્કેલી માટે હિન્દુ સમાજ, સંગઠનો, સજ્જન શક્તિ, ભારત સરકાર અને અંતરરાષ્ટ્રીય સંશ્થાઓને મદદ કરવા આહ્વાન કરાયું છે. તેમજ સંઘ સ્થાપનાને લઇ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઇ સંઘની યાત્રા, પડાવ, મુંસ્કેલી અને વધતી સેવા અને સ્વીકાર્યતા અંગે સંકલ્પ પત્ર જાહેર કરેલ છે. આ બંને પત્રો તથા સંઘ વિચારની પુસ્તિકા ભેટ આપી. તેઓના અંગત, પરિવાર અને મિત્રોના સંઘ સંબંધો યાદ કરેલ . પોતાના વહીવટી કામોની વ્યસ્તતા અને મર્યાદા વચ્ચે પ્રજાલક્ષી કામ કરવાનું ખૂબજ જહેમત માંગી લે છે. બંનેએ તેમનો સંઘ કાર્યકર્તાઓના સંબંધો પણ યાદ કર્યા હતા. સંઘના કામ તથા અન્ય વિષયો માટે મદદરુપ થવાની તત્પરતા પણ બતાવી હતી. હકારાત્મક વાતો સાથે પરત ફર્યા . 

મણકો-૧ જમનભાઇ ઠકકર( રામને ભજીલો)

Image
 મણકો:૧  દિનાંક ૨૬.૩.૨૦૨૫     જમનભાઈ ઠક્કર ( રામને ભજીલો)બુધવાર સવારે. ૭.૩૦ વાગ્યે   આજે સવારે મોરબીની મહાવીર પ્રભાત શાખા દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે સેવા સંસ્થાની મુલાકાત લેવાનું નક્કી થયો હતું. શાખાએ થી છૂટીને બધા જમનભાઈ ઠક્કરને મળવા હરિહર અન્ન ક્ષેત્રના સ્થળે પહોંચ્યા જે લાતી પ્લોટ મેઇન રોડ પર આવેલું છે. જમનભાઈ એટલે જુના સદભાવના પરિવારના કર્તા હતા .તેઓ રામને ભજીલો નામના ભજન થી ખૂબ જાણીતા .મોરબીના જુના સેવાભાવી અને ધાર્મિક વ્યક્તિમાં ઓ  માંહેના એક .તેઓની ભજન મંડળી સદભાવના ધૂન પરિવાર તરીકે ઓળખાતી .આજ સંસ્થાના ઉપક્રમે કરેલી રમેશભાઈ ઓઝા ની કથા ના કારણે એકત્ર થયેલ બચતમાંથી સદભાવના હોસ્પિટલ શરૂ થઈ હતી જેમાં મારે ડોક્ટર તરીકે સૌપ્રથમ આવવાનું થયું હતું .       જમનભાઈ એટલે સેવાના ભેખધારી. કોઈ બીન વારસી લાશ ની અંતિમ ક્રિયા કરવાની હોય ,એમ્બ્યુલન્સમાં કોઈ દર્દીને અન્ય સ્થળે લઈ જવાનું હોય ,કોઈના મૃતદેહને ઘરે પહોંચાડવાનો હોય કે દર્દીને દવા આપવાની હોય આવા અનેક કામો કરવા ટેવાયેલા.તેઓએ ડૉ કાતરિયા સાહેબ સાથે મળીને આંખના કેટલાય કૅમ્પો કરેલા. સદભાવના હોસ્પિટલ...