Posts

Showing posts from May, 2025

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

Image
  મણકો ૧૩.    તા  ૨૪.૪.૨૫ ગુરુવાર  કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત              શતાબ્દી વર્ષમાં થોડા વિશેષ લોકોનો સંપર્ક કરવો એવું મનમાં નક્કી થયું .એ મુજબ કર્ણાવતીના પ્રવાસ દરમિયાન સફારી નામના જુના પરંતુ માહિતી સભર વૈજ્ઞાનિક વિષયો વાળા મેગેઝીન ચલાવનાર તંત્રી નગેન્દ્ર વિજયજીને મળવાનું નક્કી થયું હતું. અગાઉ એક વખત તેમનો ફોન પણ આવ્યો હતો અને પ્રચાર વિભાગ અને સંઘ અને હાલનો મીડિયાના સંદર્ભમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.મારી સાથે કર્ણાવતી મહાનગરના સંપર્ક પ્રમુખ શ્યામજી જલન અને ડોક્ટર મહેશભાઈ ચૌહાણ સાથે રહ્યા .સફારી એટલે ગુજરાતના જૂનુ પરંતુ વિશિષ્ટ માહિતી સરળ ભાષામાં તથા વિજ્ઞાનની અનેક વસ્તુઓને ઉજાગર કરતુ લોકપ્રિય ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં પ્રિય . જેમાં એક પણ જાહેરાત ના આવે .બધા જ લેખો માહિતી સભર હોય તાત્વિક હોય અને યોગ્ય લેખકોએ લખેલા હોય .નગેન્દ્ર વિજયજી તંત્રી પણ વિષયોના ખૂબ અનુભવી .આજે પણ તેમને 80 નો દાયકો હોવા છતાં શરીરની તંદુરસ્તી ઠીક ન રહેવા છતાં ખુરશી પર બેઠી ને કલાકો સુધી આવીરત વાતો ...

મણકો ૧૨- તા ૨૨,૪,૨૫. વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન

Image
મણકો ૧૨-   તા ૨૨,૪,૨૫.    વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન વાંકાનેર નું નામ પડે એટલે વતન હોવાથી દરેક કાર્યક્રમમાં જવાની ઈચ્છા થાય .વાંકાનેરના અમારા જુના પાડોશી જાદવજીભાઈ પુજારા પરિવાર એટલે અમારી એક સહિયારી દીવાલનો પરિવાર .અમારું જૂનું ઘર પણ તેમને આપેલું. તેમના દીકરા કિશોરભાઈ તો મારી સાથે પણ ભણતા હતા . જાદવજીભાઇ મહીકાના વતની, માવા વે વ્યાપાર કરી મુંબઇને વાંકાનેરનો માવા પહોંચાડનાર જૂના સંઘના સ્વંયસેવક અને કેશુભાઇ પટેલની હીરના જનસંઘથી. હવેલીપંથી કૃષ્ણભક્ત પરિવાર અને ગાયોની ખૂબ સેવા કરે. વાંકાનેરમાં તેમણે શરુ કરેલ અંધઅપંગ ગૌશાળા આ વિસ્તારમાં સેવા માટે પ્રખ્યાત છે. તેમના પરિવાર દ્વારા પોતાના દિવંગત સ્વજનોની યાદમાં ભાગવત કથા રાખી હતી .ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું હતું. તારીખ 22 એપ્રિલના રોજ કથા શ્રવણ માટે બપોરે પહોંચ્યા. અગાઉથી કિશોરભાઈ ને જાણ કરેલી હતી સ્વાગત કરી અને સુંદર મજાની બેસવાની વ્યવસ્થા કરેલ.           ભાગવત કથાના શ્રવણમાં હજી શરૂઆતનો બીજો દિવસ હોવાથી પરીક્ષિ...

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

Image
વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા:  દુનિયામાં ભારત અન્ય કરતા અલગ પડે છે અને તેમા હિન્દુ જીવન પદ્ધતિ પણ. હિન્દુઓમા સોળ સંસ્કારમા વિવાહ એક સંસ્કાર ગણવામાં આવ્યો છે જ્યાં  ફક્ત બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવાર સાથે જોડાય છે અને આ જોડાણથી પરિવાર , સમાજ , રાષ્ટ્ર અને વિશ્વકલ્યાણની ભાવના જોડાયેલ છે. વિવાહ સંસ્કારની વિધીમા બધી જ્ઞાતિ ,જાતિ અને સગા વ્હાલાની સહભાગીતા હોય છે. અહી સપ્તપદી સંસ્કાર છે. માતા પિતા કન્યાદાન કરે છે.                             અમારા સહપાઠી અને ભૌતિક વિજ્ઞાની ડો ઘનશ્યામ આદ્રોજા અને જાગૃતિબેન જેઓ ઇગ્લેન્ડમા રહે છે .તેઓ પોતાના પુત્રે ડો નૈમિષના લગ્ન માટે તેમના ત્યાંજ વસતા વેવાઇ સાથે ભારતમા લગ્ન ગોઠવવા નક્કી કર્યુ. નૈમિષ અને ડો તન્વીની આ વિધી ગોવામાં મડગાંવ સ્થિત ઝુરી વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં ગોઠવાઇ.        ઘન્શ્યામભાઇ મૂળ પીપળીયા ગામના વતની અમારી સાથેના વીસી હાઈસ્કૂલના સહાધ્યાયી અને વૈજ્ઞાનિક જેઓ ઇગ્રુલેન્ડમાં રુથરફોર્ડ લેબોરેટરીમાં ...