Posts

મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી મોરબી . દિનનાં ૨૧.૬.૨૦૨૫

Image
  મણકો: ૧૫ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી           આજે મોરબી મુકામે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી .દર વર્ષની જેમ સરકારી કર્મચારીઓ ,પોલીસ તથા વિવિધ સુરક્ષા કર્મચારી ,શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે આમ જનતા 2014 ની સાલથી આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરે છે .આ વર્ષે પણ મોરબી જિલ્લાના કલેક્ટર કિરણભાઇ ઝવેરી સાહેબ અન્ય સરકારી અધિકારીઓ તથા વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ની હાજરીમાં દિવસની ઉજવણી થઈ .કલેકટર શ્રી અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા કેસરી દેવસિંહજીએ યોગનું મહત્વ આજના સંદર્ભમાં સમજાવ્યુ.વડનગર થી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વિશાખાપટમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્ય પછી હાજર રહેલા બધા લોકોએ યોગ પ્રોટોકોલ પ્રમાણેના વિવિધ સૂક્ષ્મ ક્રિયાઓ ,યોગાસનો ,પ્રાણાયામ અને પ્રાર્થના દ્વારા દિનની ઉજવણી કરી. ધીરે ધીરે યોગની ઉજવણી એક સામાજિક બની રહી છે તથા પ્રજા ઉત્સુકતાથી જોડાઈ રહી છે .છતાં પણ આજે કરેલા યોગ દિનની ઉજવણ...

મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી

Image
  મણકો 14 : તા ૨૦.૬.૨૫ મોરબી ના અલ્પાબેન કક્કડ દ્વારા જન્મદિન વિશેષ રીતે ઉજવણી       પોતાના જન્મદિવસની અનોખી તથા ભારતીય પદ્ધતિથી ઉજવણી મોરબીના સામાજિક મહિલા કાર્યકર્તા અને ભારતીય જનતા પક્ષમાં સક્રિય મહિલા મોરચાની જવાબદારી સાંભળતા અલ્પાબેન કક્કડે કરેલ.તા ૨૦ જૂન તેમનો જન્મદિવસ હતો .પશ્ચિમી પદ્ધતિથી જન્મ દિવસ ઉજવવા ટેવાયેલા આધુનિક પરંપરામાં મીણબત્તી ઓલવવી, કેક કાપવી , સમૃદ્ધ લોકો માટે ભોજન સમારંભ કરીને બધાની પાસેથી કંઈક ભેટ સ્વીકારવી જ્યાં ત્યાં જોવા મળે છે. હવે ભારતીય સંસ્કારની પ્રસંગ ઉજવણી ધીરે ધીરે સમાજમાં વધવા લાગી છે. એવો જ આજનો દિવસ રહ્યો .અલ્પાબેન એ સરકારી કબીર આશ્રમ આંગણવાડીમાં અભ્યાસ કરતા ૭૦ વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ સાથે બગથળાના પૂ દામજી ભગત પણ ઉપસ્થિત રહ્યા. નાના બાળકો શૈક્ષણિક કીટ સ્વીકારીને આનંદવિભોર થતા હતા . આ બાળકો તથા ગરીબ લોકોને ભોજન પણ તેમને કરાવી ભારતીય સંસ્કાર નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.કહે છે કે આપણા ઘરમાં શુભ પ્રસંગોમાં ઉપેક્ષિત સમાજ માટે કંઈક આપણે આપવું જોઈએ .સ્વાર્થ નહી પરંતુ પરમાર...

મણકો ૧૩. તા ૨૪.૪.૨૫ ગુરુવાર કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત

Image
  મણકો ૧૩.    તા  ૨૪.૪.૨૫ ગુરુવાર  કર્ણાવતીમાં ‘સફારી’ મેગેઝીનના તંત્રી નગેન્દ્ર વિજયજી ની મુલાકાત              શતાબ્દી વર્ષમાં થોડા વિશેષ લોકોનો સંપર્ક કરવો એવું મનમાં નક્કી થયું .એ મુજબ કર્ણાવતીના પ્રવાસ દરમિયાન સફારી નામના જુના પરંતુ માહિતી સભર વૈજ્ઞાનિક વિષયો વાળા મેગેઝીન ચલાવનાર તંત્રી નગેન્દ્ર વિજયજીને મળવાનું નક્કી થયું હતું. અગાઉ એક વખત તેમનો ફોન પણ આવ્યો હતો અને પ્રચાર વિભાગ અને સંઘ અને હાલનો મીડિયાના સંદર્ભમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.મારી સાથે કર્ણાવતી મહાનગરના સંપર્ક પ્રમુખ શ્યામજી જલન અને ડોક્ટર મહેશભાઈ ચૌહાણ સાથે રહ્યા .સફારી એટલે ગુજરાતના જૂનુ પરંતુ વિશિષ્ટ માહિતી સરળ ભાષામાં તથા વિજ્ઞાનની અનેક વસ્તુઓને ઉજાગર કરતુ લોકપ્રિય ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં પ્રિય . જેમાં એક પણ જાહેરાત ના આવે .બધા જ લેખો માહિતી સભર હોય તાત્વિક હોય અને યોગ્ય લેખકોએ લખેલા હોય .નગેન્દ્ર વિજયજી તંત્રી પણ વિષયોના ખૂબ અનુભવી .આજે પણ તેમને 80 નો દાયકો હોવા છતાં શરીરની તંદુરસ્તી ઠીક ન રહેવા છતાં ખુરશી પર બેઠી ને કલાકો સુધી આવીરત વાતો ...

મણકો ૧૨- તા ૨૨,૪,૨૫. વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન

Image
મણકો ૧૨-   તા ૨૨,૪,૨૫.    વાંકાનેર મુકામે જાદવજીભાઈ પુજારા પરિવારની ભાગવત કથામાં શ્રવણભક્તિ અને વાંકાનેરના જુના કાર્યકર્તાઓનો મિલન વાંકાનેર નું નામ પડે એટલે વતન હોવાથી દરેક કાર્યક્રમમાં જવાની ઈચ્છા થાય .વાંકાનેરના અમારા જુના પાડોશી જાદવજીભાઈ પુજારા પરિવાર એટલે અમારી એક સહિયારી દીવાલનો પરિવાર .અમારું જૂનું ઘર પણ તેમને આપેલું. તેમના દીકરા કિશોરભાઈ તો મારી સાથે પણ ભણતા હતા . જાદવજીભાઇ મહીકાના વતની, માવા વે વ્યાપાર કરી મુંબઇને વાંકાનેરનો માવા પહોંચાડનાર જૂના સંઘના સ્વંયસેવક અને કેશુભાઇ પટેલની હીરના જનસંઘથી. હવેલીપંથી કૃષ્ણભક્ત પરિવાર અને ગાયોની ખૂબ સેવા કરે. વાંકાનેરમાં તેમણે શરુ કરેલ અંધઅપંગ ગૌશાળા આ વિસ્તારમાં સેવા માટે પ્રખ્યાત છે. તેમના પરિવાર દ્વારા પોતાના દિવંગત સ્વજનોની યાદમાં ભાગવત કથા રાખી હતી .ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું હતું. તારીખ 22 એપ્રિલના રોજ કથા શ્રવણ માટે બપોરે પહોંચ્યા. અગાઉથી કિશોરભાઈ ને જાણ કરેલી હતી સ્વાગત કરી અને સુંદર મજાની બેસવાની વ્યવસ્થા કરેલ.           ભાગવત કથાના શ્રવણમાં હજી શરૂઆતનો બીજો દિવસ હોવાથી પરીક્ષિ...

મણકો 11 વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા ( દિનાંક ૧૮.૪.૨૫

Image
વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં હિન્દુ વિધીથી વિવાહ સંસ્કાર કરવાની ઇચ્છા:  દુનિયામાં ભારત અન્ય કરતા અલગ પડે છે અને તેમા હિન્દુ જીવન પદ્ધતિ પણ. હિન્દુઓમા સોળ સંસ્કારમા વિવાહ એક સંસ્કાર ગણવામાં આવ્યો છે જ્યાં  ફક્ત બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવાર સાથે જોડાય છે અને આ જોડાણથી પરિવાર , સમાજ , રાષ્ટ્ર અને વિશ્વકલ્યાણની ભાવના જોડાયેલ છે. વિવાહ સંસ્કારની વિધીમા બધી જ્ઞાતિ ,જાતિ અને સગા વ્હાલાની સહભાગીતા હોય છે. અહી સપ્તપદી સંસ્કાર છે. માતા પિતા કન્યાદાન કરે છે.                             અમારા સહપાઠી અને ભૌતિક વિજ્ઞાની ડો ઘનશ્યામ આદ્રોજા અને જાગૃતિબેન જેઓ ઇગ્લેન્ડમા રહે છે .તેઓ પોતાના પુત્રે ડો નૈમિષના લગ્ન માટે તેમના ત્યાંજ વસતા વેવાઇ સાથે ભારતમા લગ્ન ગોઠવવા નક્કી કર્યુ. નૈમિષ અને ડો તન્વીની આ વિધી ગોવામાં મડગાંવ સ્થિત ઝુરી વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં ગોઠવાઇ.        ઘન્શ્યામભાઇ મૂળ પીપળીયા ગામના વતની અમારી સાથેના વીસી હાઈસ્કૂલના સહાધ્યાયી અને વૈજ્ઞાનિક જેઓ ઇગ્રુલેન્ડમાં રુથરફોર્ડ લેબોરેટરીમાં ...

મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન

Image
  મણકો:10 બિદડા હોસ્પિટલ અને સેવા કેન્દ્ર દર્શન બિદડામાં આવેલી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ ની અંદર જ આવેલા ઓડિટોરિયમ માં આ વિસ્તારના પ્રબુદ્ધ લોકો માટેની પંચ પરિવર્તન વિશે સંઘ શતાબ્દી વર્ષના વિષયની એક ગોષ્ટિ થઈ . હોસ્પિટલના ટ્રસ્ટના અધ્યક્ષ વિજયભાઈ પોતે હાજર હતા .તેઓ અમેરિકા સ્થિત હતા .હવે અહીંયા આવીને આ સેવાના કામોમાં સંપૂર્ણ સમય આપીને અહીંયા જ રહી રહ્યા છે .તેમના પિતા બચુભાઇનુ આ વિસ્તારને ભેટ એટલે આ હોસ્પીટલ . વિજયભાઈએ સંપૂર્ણ હોસ્પિટલ નું રાઉન્ડ લઈને દર્શન કરાવ્યુ .ચાલતી વિશેષ ફિઝીયોથેરાપી અને પોસ્ટ ઓપરેટિવ રીહેબીલીટેશનના વિવિધ વિભાગો અને લાભાર્થીઓને મળ્યા .એની વિશેષતા એવી છે કે કર્ણાવતી મુંબઈના ન્યુરોસર્જન ને ઓર્થોપેડિક સર્જન રેહેબીલીટેસન માટે દર્દીઓને અહીંયા મોકલે છે અહીંયા નેચર ક્યોર સારવારનું પણ કેન્દ્ર છે .આંખની હોસ્પિટલ અને ઓપરેશનો પણ થાય છે. જાન્યુઆરી મહિનામાં વિશેષ મુંબઈથી  અને વિદેશથી આવતા ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ પણ થાય છે .સંપૂર્ણ સગવડતાઓ એકદમ નજીવા દરથી કરવામાં આવે છે .મુંબઈ અને વિદેશના અનેક દાતાઓ આ કાર્યમાં સહાયરૂપ થાય છે. વિજયભાઈ જેવા આ દાતાઓ...

મણકો: ૯ બુરુમલ આશ્રમ અને સ્વામી વિદ્યાનંદજીની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫

Image
મણકો: ૯ બુરુમલ   આશ્રમ અને સ્વામી વિદ્યાનંદની સેવા પ્રવૃતિઓ તા ૧૨.૪.૨૫      દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર પાસે બુરુમુલ ગામમાં ભાવભાવેશ્વર શિવ મંદિર અને આશ્રમ આવેલો છે .આ સદગુરુ આશ્રમમાં આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી મહારાજ છેલ્લા 25 વર્ષથી આશ્રમ બનાવીને અનેક સેવાકીય પ્રવૃતિઓ જનજાતિ વિસ્તારમાં કરી રહયા છે .તેમના ગુરુ સ્વામી અખંડાનંદજીએ કાશીથી આવી અને 1945 ની સાલમાં આ સ્થાન પોતાના આશ્રમ માટે પસંદ કરયુ હતું. એ જ સ્થાનની અવિરત સેવાઓ આજે બીજમાંથી વટવૃક્ષ બની છે .        અહીં આશ્રમમાં ભાવભાવેશ્વર શિવર્લિંગ આવેલ છે એમ કહેવાય છે કે આ 13 મો જ્યોતિર્લિંગ કહી શકાય .પંચધાતુ માંથી બનાવેલું આ જ્યોતિર્લિંગ દિવ્ય અને ભવ્ય છે. સાથે સાથે મંદિર પરિસર ની અંદર નવ ગ્રહોના મંદિર ,વૈષ્ણોદેવીની ગુફાl, માતાજી ઓને અલગ અલગ મૂર્તિ અને ગણપતિ હનુમાનજી મહારાજ બિરાજી રહ્યા છે .      ખરું કામ તો આશ્રમનો જનજાતિ વિસ્તારમાં જાત જાતની સેવાઓનું છે. અહીંયા તેઓ સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે. આ જ વિસ્તારના ભાઈઓ અને બહેનો માટે પ્રાથમિક અને માધ્યમિક શાળ...